તાપી: ઝોય મિનિસ્ટ્રીઝ દ્વારા ઝોય ચર્ચ પીપળકુવા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

0

આજ રોજ તા ૧૬/૦૯/૨૦૨૪ ના રોજ સ્વ.બિસપ. વિજય કે ગામીત ના છઠી સ્મરણજલિના દિવસે ઝોય મિનિસ્ટ્રીઝના ઝોય ચર્ચ પીપળકુવા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં ભાઇઓ,બહેનો અને યુવાનોએ ભાગ લીધો હતો. બ્લડ ડોનેશનમાં કુલ ૮૪ બોટલ લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું.


સોનગઢ તાલુકાના પીપળકુવા ગામે ઝોય મિનીસ્ટ્રીઝના ઝોય ચર્ચ પીપળકુવા ખાતે સ્વ.બિસપ વિજય કે. ગામીતની છઠી સ્મરણાંજલી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશ કેમ્પમાં તાપી જીલ્લાના અલગ અલગ સંસ્થાના અલગ અલગ ચર્ચના ભાઈઓ,બહેનો અને યુવાનોએ ભાગ લીધો હતો. જેમાં કુલ ૮૪ બોટલ લોહી એકત્રીત કરવામાં આવ્યું હતું.
આજુ- બાજૂના વિસ્તારમાં રહેતા યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રકતદાન કર્યું હતું. યુવાનોએ રકતદાન કરી સમાજમાં સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડયું હતું. કુલ ૮૪ ભાઈ- બહેનો અને આસપાસના યુવાનોએ રકતદાન કરી સમાજમાં સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડયું હતું. કુલ ૮૪ રકતદાતાઓ પૈકી ૪૦ ટકા કરતા વધુ વિધાર્થી ભાઈ-બહેનો અને યુવાનો એવા હતા કે જેમણે પ્રથમવાર રકતદાન કર્યુ હતું. સામાન્‍ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં રકતદાન અંગેની જાગૃતતા પ્રમાણમાં ઘણી ઓછી જોવા મળતી હોય છે તેવા સંજોગોમાં આ સફળ રકતદાન શિબિર દ્વારા આ વિસ્તારમાં રકતદાન માટે જાગૃતતા લાવવામાં સફળતા મળી શકી છે. 

ઝોય મિનિસ્ટ્રીઝના ટ્રસ્ટીશ્રી ગુરજીભાઈ ગામીત, પીપળકુવા ગામના સરપંચ અને ઘોડા ગામના સરપંચશ્રીએ  દરેક રક્તદાતાઓનો અને શ્રી લક્ષ્મીબેન ખુશાલભાઈ પટેલ રક્તદાન કેન્દ્ર વ્યારાના દરેક કર્મચારીઓનો આભાર માન્યો હતો.

રક્તદાનનું મહત્વ 
રક્તદાન કરવાથી આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે. લોહીમાં આયર્ન નું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે. નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્ન નું પ્રમાણ ઘટે છે, કે જેનાથી હાર્ટ અટેકની શક્યતા ૮૮% જેટલી ઘટી જાય છે. આ ઉપરાંત, રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ ૩૩% જેટલો ઘટાડો થાય છે.

બ્લડ ડોનેટ કરવાથી ડોનરને આ ફાયદો થાય દરેક સ્વસ્થ વ્યક્તિએ વર્ષમાં ઓછામાં ઓછું બેવાર તો રક્તદાન અચૂક કરવું જોઈએ. બ્લડ ડોનેટ કરવાથી આપણે કોઈનો જીવ તો બચાવી જ શકીએ છીએ, પરંતુ આપણે પોતે પણ વધુ સ્વસ્થ પણ રહી શકીએ છીએ. ઘણા સ્વાસ્થ્ય અભ્યાસ અને રિસર્ચ પરથી ખબર પડે છે કે રક્તદાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

બ્લડ ડોનેટ કરવાથી હાર્ટ-એટેકનું જોખમ ઘટી શકે છે નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત 2013ના અભ્યાસ મુજબ, નિયમિતપણે રક્તદાન કરવાથી સ્ટોર્ડ આયર્નનું લેવલ ઘટે છે, જેનાથી હાર્ટ-એટેકનું જોખમ અનેક ગણું ઘટી શકે છે. લોહીમાં સ્ટોર થયેલું આયર્નનું હાઇ લેવલનું હાર્ટ-એટેકનું જોખમ વધારે છે.

રક્તદાન કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે રક્તદાન કરવાથી હાઇ બ્લડ પ્રેશર અને હાઇ કોલેસ્ટેરોલનું જોખમ ઓછું થાય છે.

શરીરમાં આયર્નનું પ્રમાણ સંતુલિત રહે છે નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્નનું લેવલ જળવાઈ રહે છે. જેમ આયર્નની ઊણપ જોખમકારક છે એવી જ રીતે વધુપડતા આયર્ન પણ આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. કોઈપણ રીતે આપણા લાલ રક્ત કોશિકાઓ તૂટીને નવા બનાવે છે. તેમનું સરેરાશ જીવન 120 દિવસ એટલે કે 4 મહિના છે. એ પછી એ આપમેળે નાશ પામે છે અને નવા લાલ રક્તકણો રચાય છે.

જ્યારે આપણે રક્તદાન કરીએ છીએ ત્યારે શરીરમાં લોહીનું પ્રમાણ 24 કલાકની અંદર ફરી બની જાય છે, પરંતુ લાલ રક્તકણોને ફરીથી બનવામાં 4થી 6 અઠવાડિયાં સુધીનો સમય લાગે છે.

પ્રાઇમરી હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવે છે રક્તદાન પહેલાં ડોકટરો પ્રાથમિક આરોગ્ય તપાસ કરે છે, એનાથી અમુક હેલ્થ વિશેની જાણકારી મળી જાય છે, જેમ કે આપણું વજન કેટલું છે, બ્લડપ્રેશરની સ્થિતિ શું છે, હીમોગ્લોબિન ઓછું છે કે વધારે છે કે પછી લોહીમાં કોઈ રોગના વાઇરસ છે કે કેમ, આ બધું નિયમિત રક્તદાન દ્વારા જાણી શકાય છે. આ બધા એવા ટેસ્ટ છે, જે આપણે સામાન્ય રીતે કરાવતા નથી.

બ્લડ ડોનેશનની આપણા મેન્ટલ હેલ્થ પર અસર આ ફિઝિકલ હેલ્થની વાત વિશે તો આપણે વિચાર્યું છે, પરંતુ શું તમને ક્યારે પણ એવો વિચાર આવ્યો છે કે બ્લડ ડોનેશનની માનસિક સ્વાસ્થ્ય પર પણ કોઈ અસર થાય છે? આ જાણવા માટે મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન, યુકેએ 2015માં એક રિસર્ચ કર્યું હતું, જેમાં તેમણે એવા લોકોની માનસિક સ્વાસ્થ્યની સ્થિતિની સમીક્ષા કરવાનો પ્રયાસ કર્યો, જેઓ વર્ષમાં ઓછામાં ઓછા એક કે બે વાર રક્તદાન કરે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top