સંયુકત રાષ્ટ્ર સંધ (U.N.O.) દ્વારા વર્ષ ઈ.સ. ૧૯૯૨ માં ધોષિત “વિશ્વ આદિવાસી દિવસ'' દર વર્ષે ૯મી ઓગષ્ટના દિને આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે. વ્યારા તાલુકાનાં ઝાંખરી ગામે આ વર્ષએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. આ વિસ્તાર જંગલો અને પ્રકૃતિ પૂજક સમાજ આજે પણ સંસ્કૃતિ પરંપરાઓ અને આગવી જીવનશૈલી સાથે લોકો જોડાયેલ રહ્યા છે. અને જંગલનું જતન કરી રહ્યા છે.
તાપી જીલ્લામાં અનેક વિસ્તરોમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વ્યારા તાલુકાનાં ઝાંખરી ગામે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ ગામમાં સમાજ સેવાકો, આગેવાનોના આયોજન મુજબ ગામમાં ૩૦૦૦ થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યુ હતુ. અને વૃક્ષોનું જતન અને ઉછેર કરવાની જવાબદારીનો સંકલ્પ કરવમાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, આજુબાજુના ભાઇઓ-બહેનો, યુવાનો, નેતાઓ, સમાજ સેવાકોએ હાજર રહ્યા હતા.