કર્મચારીઓને સારા સમાચાર મળી શકે છે, કર્મચારીઓનો પગાર વધારીને 25 હજાર રૂપિયા થઈ શક્શે

0
22 જુલાઈથી કેન્દ્ર સરકારનું બજેટ સત્ર શરુ થશે અને તેના એક દિવસ બાદ એટલે કે 23 જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. આ બજેટથી લોકોને વધુ આશા છે. મધ્યમ વર્ગના લોકોને લાગે છે કે આ વર્ષે સરકાર તેમને થોડી રાહત મળી રહે એવા નિર્ણય લઇ શકે છે. જેમાં કર્મચારીઓને સારા સમાચાર મળી શકે છે. લઘુતમ 15 હજાર પગાર ધરાવતા કર્મચારીઓનો પગાર વધારીને 25 હજાર રૂપિયા થઈ શકે છે.



દેશમાં 10 વર્ષથી લઘુતમ વેતનમાં વધારો થયો નથી
હાલમાં કેન્દ્ર સરકારના એમ્પ્લોઇમેન્ટ પ્રોવિડન્ટ ફંડ માટે લઘુતમ પગાર રૂ. 15,000 છે. શ્રમ અને રોજગાર મંત્રાલએ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં આ વર્ષના બજેટમાં વધારીને રૂ. 25,000 કરવામાં આવી શકે છે. 23 જુલાઈએ નાણામંત્રી બજેટમાં તેની જાહેરાત કરીને વર્ષોથી ચાલી આવતી માંગને પૂરી કરી શકે છે. દેશમાં છેલ્લા 10 વર્ષથી લઘુતમ વેતનમાં વધારો થયો નથી. જયારે ફુગાવામાં સતત વધારો થતો રહે છે. છેલ્લે 1 સપ્ટેમ્બર 2014ના રોજ લઘુતમ વેતન રૂ. 6,500થી વધારીને રૂ. 15,000 કરવામાં આવ્યું હતું.




વધુ વાંચો: છૂટક કામદારો માટે આ ફંડ નિવૃત્તિનો લાભ સહિત અન્ય સુવિધા આપશે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top